Navratri 2022:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.


જો આપ નવરાત્રિમાં ઉપવાસ કરતાં હો તો ફરાળી સાબુદાણાના વડા એક સારૂં ઓપ્શન છે.કેવી રીતે બનાવશો રીત જાણી લો..


સામગ્રી



  • ૧/૨ કપ સાબુદાણા

  • ૧ કપ બાફેલા , છોલીને મસળી લીધેલા બટેટા

  • ૧/૩ કપ શેકેલી મગફળી , હલકો ભુક્કો કરેલી

  • ૧/૨ ચમચી જીરૂ

  • 1 ચમચી આદુની પેસ્ટ

  • ૧ ૧/૨ ચમચી ઝીણાં સમારેલા લીલા મરચાં

  • ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર

  • ૧/૨ ચમચી લીંબુનો રસ

  • મીઠું , સ્વાદાનુસાર

  • તેલ , તળવા માટે


બનાવવાની રીતઃ



  • સાબુદાણા સાફ કરી, ધોઇને અંદાજે ૧/૩ કપ પાણીમાં લગભગ 4 થી 5 કલાક અથવા સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો.

  • ત્યારબાદ તેમાં બાકી રહેલી વસ્તુઓ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

  • આ મિશ્રણના 8 સરખા ભાગ કરીને દરેક ભાગને ગોળ ચપટો આકાર આપી વડા બનાવવા.

  • એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપે વડા તળવા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા અને ત્યારબાદ તેને ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય. તો તૈયાર છે સાબુદાણાના વડા તેને લીલી ચટણી અને મીઠા દહીં સાથે ખા


Navratri vrat recipes નવરાત્રીની વ્રત દરમિયાન આ સ્વાદિષ્ટ બટાટા શકરપારાની રેસિપી કરો ટ્રાય


avratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.


 મેંદાના કે ઘઉંના લોટના આપે શક્કરપારા ખાઘા હશે પરંતુ આજે અમને આપને ફરાળી સ્વાદિષ્ટ શક્કરપારાની રેસીપી જણાવી રહ્યાં છે. આપ બટાટામાંથી સ્વાદિષ્ટ શક્કરપારા બનાવી શકો છો. નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ક્રેવિંગ થાય ભૂખ લાગે ત્યારે ઉપયોગી થઇ શકે છે.


બટાટાના સ્વાદિષ્ટી શક્કરપારા



  • બટાટાના સ્વાદિષ્ટ શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલા આ સામગ્રી તૈયાર કરો

  • બટાકા - 4 થી 5 નંગ

  • ફુદીનો પાવડર - 1  ચમચી

  • જરૂર મુજબ બરછટ છીણેલા લાલ મરચાં

  • ઘઉંનો લોટ - 2 ચમચી

  • મીઠું  સ્વાદ અનુસાર,

  • તેલ - તળવા માટે


રેસીપી



  • સૌપ્રથમ બટેટાને છોલીને તેના જાડા લાંબા ટુકડા કરી લો. બે-ત્રણ પાણી બદલીને તેને ધોઈને સાફ કરો.

  • હવે તેને એકદમ ઠંડા બરફના પાણીમાં એકથી દોઢ કલાક સુધી પલાળી દો. ત્યારબાદ તેનું પાણી ગાળી લો અને તેને કપડા પર થોડી વાર માટે ફેલાવી દો.

  • તેના પર કોળુંના લોટને  છાંટીને તેને ગરમ તેલમાં તળી લો,  તેને ડીપ ફ્રાય કરો.  અને આછો સોનેરી થાય ત્યાં સુધી તેને તળો.

  • હવે તેના પર રોક મીઠું, બરછટ પીસેલું લાલ મરચું, ફુદીનો પાવડર છાંટવો.