Health Tips: આયુર્વૈદમાં દ્રાક્ષને ગુણોના ભંડાર કહેવામાં આવે છે. દ્રાક્ષ શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. દ્રાક્ષના સેવનથી માનસિક તણાવ ઘટે છે અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે. દ્રાક્ષ કઇ રીતે સ્વાસ્થ્ય માટે ગુણાકારી છે જાણીએ...


દ્રાક્ષ સેવનના અદભૂત ફાયદા



  • જો આપના શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો દ્રાક્ષ આપના માટે ઉપકારક છે. દ્રાક્ષના જ્યુસમાં મધ નાખીને પીવાથી લોહીની કમી દૂર થાય છે અને એનર્જી લેવલ જળવાય રહે છે.

  • ડાયાબિટીસના દર્દી માટે પણ દ્રાક્ષ ઔષધ સમાન છે. દ્રાક્ષનુ સેવન શરીરમાં શુગરનું લેવલ ઓછું કરે છે અને આયરનનું પ્રમાણ વધારે છે તેથી ડાયાબિટીસ દર્દી માટે તે દવાનું કામ કરે છે.

  • કબજિયાતની સમસ્યામાં પણ દ્રાક્ષનું સેવન હિતકારી છે.  જો આપ કબજિયાતની સમસ્યાથી પીડિત હો તો દ્રાક્ષનું જ્યુસ પીવાથી રાહત મળે છે.

  • હૃદય માટે પણ દ્વાક્ષ હિતકારી, જો આપ હૃદય સંબંધિત કોઇ સમસ્યાથી પરેશાન હો તો  દ્રાક્ષને ડાયટમાં સામેલ કરી શકો છો. દ્રાક્ષના સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.

  • માઇગ્રેઇનના દર્દી માટે પણ દ્રાક્ષનું સેવન ઉપકારક છે. માઇગ્રેઇનની સમસ્યામાં દ્વાક્ષ અથવા દ્વાક્ષનું જ્યુસ પીવાથી માઇગ્રઇનના દુખાવાથી રાહત મળી શકે છે. માઇગ્રેઇનના પેશન્ટે અવશ્ય ગરમીની સિઝનમાં દ્રાક્ષનું સેવન કરવું જોઇએ.

  • બ્લડપ્રેશરમાં પણ પણ દ્રાક્ષ રામબાણ ઇલાજ છે. જો આપ હાઇ બ્લડપ્રેશરથી પીડિતા હો તો દ્રાક્ષના સેવનથી ઘણો ફાયદો થાય છે. હાઇબ્લડ પ્રેશરના દર્દીઓએ અઠવાડિયામાં 2થી 3 વખત દ્રાક્ષનું સેવન કરે તો તે બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે.