Women helath tips:પિરિયડ એક નેચરલ પ્રક્રિયા છે, જે મહિલાઓમાં 28 દિવસના અંતરાલ બાદ દર  મહિને થાય છે. આ સાયકલમાં ગડબડ થતાં પિરિયડ્સ અનિયમિત બને છે.પિરિયડ્સમાં અનિયમિતતાના અનેક કારણો છે. જો કે આપ કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરીને પિરિયડની અનિયમિતતા દૂર કરી શકો છો.


જો આપના પિરિયડ અનિયમિત હોય તો આપ ડાયટમાં આદુને સામેલ કરો. આદુમાં મોજૂદ મેગન્શિયમ યૂટૂસને સંકોચાવીને મદદ કરે છે. જેના કારણે પિરિયડ નિયમિત થાય છે.આપ નિયમિત રીતે કાચ્ચા પપૈયાનું સેવન કરો,તેનાથી પિરિયડમાં અનિયમિતતાથી મુક્તિ મળે છે.


એલોવેરા હોર્મોન્સને મેનેજ કરવામાં મદદ કરે છે. જેનાથી પણ અનિયમિત પિરિયડની સમસ્યા ખતમ થઇ શકે છે.તજ શરીરને અંદરથી ગરમ રાખે છે. તેનાથી બ્લડ ફ્લો વધે છે. તજનો ઉપયોગ યેન કેન પ્રકારે ફૂડમાં કરવાથી અનિયમિત પિરિડ્સથી મુક્તિ મળી શકે છે.


રાત્રે અથવા તો સવારે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને પીવાથી પણ પિરિયડની અનિયમિતતા દૂર થાય છે,અનાસમાં મોજૂદ એન્જાઇમ બોડીમાં રેડ અને વાઇટ બ્લડ સેલ્સનું ઉત્પાદન વધારે છે. તેનાથી બ્લડ ફ્લો સારો રહે છે.


ovarian cancer:શરીરમાં દેખાય આ સામાન્ય 4 લક્ષણો તો  ક્યારેય ન કરો નજર અંદાજ, હોઇ શકે છે કેન્સર


ovarian cancer:મહિલાઓમાં ઓવેરિયન કેન્સર પ્રત્યે સભાનતા લાવવી જરૂરી છે. મોટાભાગની મહિલા ઓવેરિયન કેન્સરના પ્રારંભિક લક્ષણોથી અજાણ હોય છે. આ મુદ્દે જાણકારી આપને કેટલીક મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. 
આજની સમયમાં કેન્સર એક મોટું જોખમ બનતું જાય છે, છેલ્લા 4થી5 વર્ષમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આજે આપણે વાત કરીશું ઓવેરિયન કેન્સરની અને તેના પ્રારંભિક લક્ષણોની.. ઓવેરિયન કેન્સરમાં એવા મામુલી લક્ષણો છે. જેનાથી મોટાભાગની મહિલાઓ અજાણ હોય છે. જાણીએ ઓવેરિયન કેન્સરના પ્રારંભિક લક્ષણો શું હોય છે. 


જો આપને સોજો, પેટ ભરેલુ મહેસૂસ થવું. વારંવાર ટોયલેટ જવું પડતું હોય તો આપ આ લક્ષણોને નજર અંદાજ ન કરો. આ લક્ષણો ઓવેરિયન કેન્સરના પણ હોઇ શકે છે. 
સામાન્ય રીતે જ્યારે મહિલાઓમાં પેટ સંબંધિત આ સમસ્યા જોવા મળે તો તે તેને પાચનતંત્રની ગરબડ સમજીને અવોઇડ કરે છે અથવા તો ઘરેલુ પાચન દુરસ્ત કરવાના ઉપચાર કરીને જ સંતોષ માની લે છે પરંતુ આ ભૂલ ભરેલું છે, મહિલાઓવા લક્ષણ ઓવેરિયન કેન્સરના પણ હોઇ શકે છે. 


આ મુદ્દે થોડી જાણકારી આપને મોટા જોખમથી  બચાવી શકે છે. નિષ્ણાતના મત મુજબ જો ઓવેરિયન કેન્સરના શરૂઆતી લક્ષણોથી જ સજાગ થઇ જઇએ અને તેનું નિદાન થઇ થાય તો ઇમરજન્સી લેવલની ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી. જેના પગલે ઓવેરિયન કેન્સર મોતનું કારણ પણ નથી બનતું 


ઓવેરિયન કેન્સર પ્રત્યે કેટલી જાગરૂકતા છે આ મુદ્દે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ 1000 મહિલા પર કરવામાં આવ્યું હતું. તેમાં 68 ટકા મહિલા ઓવેરિયન કેન્સરના સાંકેતિક લક્ષણોથી અજાણ હતી. જ્યારે 21 પ્રતિશત મહિલાઓને જાણ હતી કે, સોજો એક ટ્યુમરનું પણ સંભવિત લક્ષણ હોઇ શકે છે. 


ડોક્ટરે શું આપી સલાહ
નિષ્ણાત મુજબ પેટ ભર્યુ ભર્યુ મહેસૂસ થવું, વારંવાર ટોયલેટ જવાની ઇચ્છા થવી,. સોજો જેવા લક્ષણો જો મહેસૂસ થાય તો મહિલાઓએ આ મામલે બેદરકાર ન રહેવું જોઇએ. જો આવા કોઇ લક્ષણો શરીરમા લાંબો સમય સુધી રહે તો સજાગ થઇ જવું જોઇએ અને તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઇએ.