Spot Weight Loss: આજકાલ લોકો વજન ઘટાડવાના ખૂબ જ ક્રેઝી થઈ ગયા છે. કેટલાક પેટને ઓછું કરવા માગે છે, જ્યારે કેટલાક હિપ્સ પર જમા થયેલી ચરબી ઘટાડવા માગે છે. જાણો શુ સ્પોટ વેઇટ  લો,  શક્ય છે કે કેમ.


આકર્ષક ફિગ માટે લોકો  આજકાલ વર્કઆઇટને લઇને ક્રેઝી થઇ ગયા છે. . કેટલાક કલાકો જીમમાં વિતાવે છે તો કેટલાક યોગ અને ઝુમ્બાનો આશરો લે છે. કેટલાક લોકોને સંપૂર્ણ  શરીરનું  વજન ઉતારવું  છે, જ્યારે કેટલાક લોકો ચોક્કસ જગ્યાએથી વજન ઘટાડવા માગે છે. આજકાલ સ્પોટ વેઈટ લોસ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આમાં ચોક્કસ ભાગથી વજન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમ કે કેટલાક લોકો પેટ ઘટાડવા માંગે છે જ્યારે કેટલાક લોકો હિપ એરિયાથી વજન ઘટાડવા માંગે છે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે સ્પોટ રિડક્શન શક્ય  છે કે નહીં. શું કોઈ ચોક્કસ જગ્યાએ  વજન ઘટાડી શકાય.


શું છે સ્પોટ રિડકશન?


સ્પોટ રિડેકશનનો અર્થ છે કે, આપ શરીરના કોઇ એક હિસ્સામાંથી જ વજન ઉતારવા માંગો છો. જેમકે આપ હિપ્સ, એબ્સ કે આપ આર્મમાંથી વજન ઓછું કરવા માંગો છો. આજકાલ એવું અનેક જગ્યાએ વાંચવા કે સાંભળવા મળે છે કે, આપ આ એક્સરસાઇઝ કરશો તો પેટ કે કમરની ચરબી ઘટશે. હવે સવાલ એ થાય કે આવું શક્ય છે કે મિથ છે.


સ્પોટ રિડકશન માત્ર મિથ છે?


ન્યુટ્રિનિસ્ટની માનીએ તો કોઇ સ્પેશિયલ એક્સરસાઇઝથી ત્યાં સુધી આપ આપનું વજન ઓછું નથી કરતી જ્યાં સુધી  ઓવરવોલ કેલેરીની માત્રાને ઓછી અને મેક્રોન્યૂટ્રિઅન્ટ્સને યોગ્ય ન બનાવી રાખીએ.સ્પોટ રિડકશન આટલું કામ નથી કરતી. કારણ કે આ પ્રકારના વર્કઆઉટથી નાના મસલ્સને ટાર્ગેટ કરવામાં આવે છે. જે કમ્પલીટ એનર્જીને ખર્ચ નથી કરતું.


શું કહે છે રિસર્ચ


એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પ્રોફેશનલ ટેનિસ ખેલાડીઓના બંને હાથ પર જમા થતી ચરબી અને જાડાઈ સમાન હોય છે. જો સ્પોટ રિડક્શન શક્ય હો તો કસરતને કારણે આ ખેલાડીના બંને હાથોમાં તફાવત હોવો જોઈતો હતો.


કેમ મુશ્કેલ છે કોઇ ખાસ જગ્યાની ચરબી ઓછી કરવી?


વાસ્તવમાં, જેમ જેમ સ્થૂળતા વધે છે તેમ તેમ શરીરમાં અમુક જગ્યાએ ચરબી વધવા લાગે છે. પુરૂષોને પેટ પર ચરબી જમા થવા લાગે છે. તો  સ્ત્રીઓના શરીર પર સૌથી પહેલા હિપ્સ, સાથળ પર ચરબી જમા થાય છે. જેને ઓછું કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.