Delivery Care: બાળકનો જન્મ માત્ર માતા માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે ખુશીની ક્ષણ છે. આ ક્ષણ જેટલી ખુશીની છે એટલી જ ચિંતા અને જવાબદારીથી ભરેલી પણ છે. કારણ કે, આ સમયે શરીરમાં પ્રસૂતિના ઘા રૂઝાઈ રહ્યા છે. આ કારણથી મહિલાઓએ નોર્મલ ડિલિવરી પછી પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડિલિવરી પછીના પ્રથમ છ અઠવાડિયાને પોસ્ટપાર્ટમ પિરિયડ કહેવામાં આવે છે. આ તે સમય છે જ્યારે માતાઓએ પોતાની જાતને  રોજિંદા કાર્યો માટે તૈયાર કરવાની હોય છે. તેથી, માતાઓએ ડિલિવરી પછી ઓછામાં ઓછા છ અઠવાડિયા સુધી કામ કરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તેમના ઘા ઝડપથી રૂઝાય છે.


રાત્રે બાળકને વારંવાર ફિડીંગ કરાવવાના  કારણે મહિલાઓને રાત્રે સંપૂર્ણ ઊંઘ નથી આવતી જેના કારણે તેઓ થાક અનુભવવા લાગે છે. જો કે, એકવાર બાળક રૂટીનમાં આવી જાય, તો આ સમસ્યા પણ દૂર થઈ જાય છે, પરંતુ ત્યાં સુધી તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ઝડપથી ડિલિવરીથી રિકવરી આવે છે.


પૂરતો આરામ લોઃ નિષ્ણાતોના મતે ડિલિવરી પછી થાક ન લાગે  તે માટે બને તેટલો આરામ કરો. બાળક દર બે થી ત્રણ કલાકે દૂધ પીવા માટે જાગે છે. તેથી, જ્યારે પણ તમારું બાળક ઊંઘે છે, ત્યારે તમારે નિદ્રા પણ લેવી જોઈએ. તેનાથી તમારો થાક પણ દૂર થશે.


પરિવારના સભ્યોની મદદ લો: ડિલિવરી પછી, તમે બાળકને સંભાળવા માટે પરિવારના સભ્યની મદદ લઈ શકો છો. ડિલિવરી પછી,  રિકવરી માટે બાળકને સાચવવા માટે અન્ય કોઈની મદદ લેવાથી તમને વધુ રાહત મળશે.


પરિવારના સભ્યોની મદદ લો: ડિલિવરી પછી, તમે બાળકને સંભાળવા માટે પરિવારના સભ્યની મદદ લઈ શકો છો. ડિલિવરી પછી, શરીરને રિકવરી કરવાની જરૂર છે, તેથી કોઈની મદદ લેવાથી તમને વધુ રાહત મળશે


સંતુલિત આહાર લોઃ શરીરને ઝડપથી સ્વસ્થ બનાવવા માટે સંતુલિત આહાર લો. તમારા આહારમાં આખા અનાજ, શાકભાજી, ફળો અને પ્રોટીનનો સમાવેશ કરો. આ દરમિયાન પુષ્કળ પાણી પીવો. તે જ સમયે, સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ પુષ્કળ પાણી પીવું જરૂરી છે.


સંતુલિત આહાર લોઃ શરીરને ઝડપથી સ્વસ્થ બનાવવા માટે સંતુલિત આહાર લો. તમારા આહારમાં આખા અનાજ, શાકભાજી, ફળો અને પ્રોટીનનો સમાવેશ કરો. આ દરમિયાન પુષ્કળ પાણી પીવો. સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ પુષ્કળ પાણી પીવું જરૂરી છે.                            


 


ડોક્ટરની સલાહ લીધા બાદ   તંદુરસ્ત અને ફિટ રહેવા માટે કસરત કરી શકો છો  પરંતુ વધુ સખત કસરત ન કરો. થોડી વાર ફરો અથવા ઘરની બહાર નીકળો. ખુલ્લી હવામાં બહાર જવાથી તમારી ઉર્જા વધશે અને તમારું મન પણ શાંત રહેશે.