Bihar News: શું CM નીતિશ કુમાર ફરી RJDમાં જોડાશે? નીતિશ તરફથી એવું કોઈ નિવેદન આવ્યું નથી જે આવો કોઈ સંકેત આપે. જો કે તેમના વિરોધીઓ અને આરજેડીના લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવના નિવેદનોએ વાતાવરણને ગરમ કરી દીધું છે. વાસ્તવમાં, લાલુ યાદવે કહ્યું કે, નીતીશ માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. તે આવશે તો જોઈશું. જ્યારે સાસારામમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં કહ્યું હતું કે ગમે તેટલા બલિદાન આપવા પડે, તેઓ નીતિશ કુમારને પોતાની સાથે રાખશે અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવીને સત્તા પરથી હટાવી દેશે.


 આ પહેલા આરજેડી પ્રમુખ લાલુ યાદવે શુક્રવારે કહ્યું હતું કે નીતિશ કુમાર માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. ઉલ્લેખનિય છે કે, નીતીશ કુમાર અને લાલુ યાદવ ગુરુવારે વિધાનસભામાં ઉષ્માપૂર્ણ રીતે મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે,લાલુ યાદવ કિડનીના ઓપરેશન બાદ મોટાભાગે ઘરે જ રહે છે. લાલુ યાદવ ખરેખર મનોજ ઝા અને સંજય યાદવના સમર્થનમાં ત્યાં ગયા હતા જેમણે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી હતી.


 જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે શું JDUના વડા સાથે ફરીથી ગઠબંધન થશે તો તેમણે કહ્યું કે તેઓ ક્યારે આવશે તે જોવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નીતીશ કુમાર માટે દરવાજા ખુલ્લા છે તો લાલુ યાદવે કહ્યું કે તેમના માટે દરવાજા ખુલ્લા છે. લાલુ યાદવ અને નીતિશ કુમાર 1970ના વિદ્યાર્થી રાજકારણથી એકબીજાને ઓળખે છે.                                                                                        


 JDUએ શું કહ્યું?


જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે તેઓ (આરજેડી)ને ખબર હોવી જોઈએ કે, તેમના માટે અમારા દરવાજા પર  અલીગઢનું  તાળું છે. અમારા નેતા નીતીશ કુમારે કહ્યું છે કે જ્યારે પણ આરજેડીએ અમારી સાથે સરકાર બનાવી છે, તેણે ભ્રષ્ટાચાર કર્યો છે. હવે તેની સાથે જવાનો પ્રશ્ન જ નથી.