અમદાવાદ:    ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે.  અમદાવાદમાં  જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે.   આજે રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે.  અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.   કંડલા,  સુરેન્દ્રનગર, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  જો કે  રાહતની વાત એ છે કે  આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. અમદાવાદમાં આજે એક જ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.  આવતીકાલથી બે દિવસ યલો એલર્ટ અપાયું છે.  ગરમીનો પારો રાજ્યમાં સતત  વધી રહ્યો છે.           


બીજી તરફ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના મતે પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. રાજ્યમાં 44 ડિગ્રી તાપમાન રહી શકે છે. ગત રોજ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 44.7 તાપમાન નોંધાયું હતું. ગત રોજ કંડલા અને દિવમાં હિટવેવ જોવા મળી હતી. અમદાવાદમાં આજે એક દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાદમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. 


રાજયમાં હિટવેવની આગાહી


હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક રાજ્યમાં હજુ પણ કાળઝાળ ગરમીની સ્થિતિ યથાવત રહેશે,.જો કે 24 કલાક બાદ 2થી4 ડિગ્રી તાપમાનમાં ધટાડો થઇ શકે છે.  બેથી ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડતા ગરમીથી આંશિક રાહત અનુભવાશે.  


હિટવેવની શક્યતાને જોતા હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ અલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદને ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ યલો એલર્ટ આપ્યું છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં કેટલાક શહેરમાં તાપમાન 43 ડિગ્રીને પાર જતો લોકો ગરમીથી ત્રાહિમામ થઇ ગયા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, અમદાવાદ, જૂનાગઢ અને સુરતમાં હિટવેવના કારણે આકરા તાપથી લોકો પરેશાન છે.