આણંદઃ કોરોનાના કહેર વચ્ચે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. આણંદ તાલુકાના કાસોર ગામમાં માત્ર એક જ પોઝિટિવ કેસ આવતાં આખા વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યો છે. આખા વિસ્તારને સીલ કરી દીધા પછી જીવનજરૂરિયાતની વસ્તુ નહીં મળતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો.


આ વિસ્તારના 60 પરિવારના 150 લોકોને હાલ શાકભાજી દૂધ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સુવિધા નહીં અપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો દ્વારા કલેક્ટર /આરોગ્ય વિભાગને જાણ કરાઈ છતાં કોઈ સાંભળતું નહીં હોવાનો આક્ષેપ કરાયો છે.