અમદાવાદ:  ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 179 નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં નોંધાતા નવા કેસની વચ્ચે અમદાવાદ શહેર માટે ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં આજે કોરોના વાયરસના નવા 61 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 2 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ શહેરમાં આજે 16539 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


રાજ્યના મહાનગરોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 61 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 14 કેસ, સુરત કોર્પોરેશનમાં 20 કેસ નોંધાયા છે. રાજ્યમાં અચાનક કેસમાં વધારો થતા લોકોમાં ચિંતા છે. રાજ્યમાં આજે 34 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 179  કેસ નોંધાયા છે.  બીજી તરફ 34  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,232  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.68 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા છે. આજે 81,926  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 61, સુરત  કોર્પોરેશન 20, આણંદ 18,  વડોદરા  કોર્પોરેશનમાં 14, સુરત કોર્પોરેશન 13, સુરત 9, નવસારી 5, બનાસકાંઠા 4, ખેડા 4, જૂનાગઢ 3, કચ્છ 3, વલસાડ 3, અમદાવાદ 2, અમરેલી 2, ભરુચ 2,   ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશન 2,  જૂનાગઢ કોર્પોરેશનમાં 2, રાજકોટ 2, વડોદરા 2,   ભાવનગર કોર્પોરેશન 1, દાહોદ 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, મહેસાણા 1 અને  સુરેન્દ્રનગરમાં 1 નવો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 837  કેસ છે. જે પૈકી 12 વેન્ટીલેટર પર છે, જ્યારે 825 નાગરિકો સ્ટેબલ છે. 8,18,232 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10113 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે રાજકોટમાં 2મોત થયું છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 409 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 2785 લોકોને પ્રથમ અને 17676 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 10269 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 50787 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 81,926 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,81,55,199 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અરવલ્લી,   ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા,   જામનગર, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા અને તાપીમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.