અમદાવાદઃ ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે, ત્યારે ગઈ કાલે અત્યાર સુધીમાં સૌથી વધુ 861 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 790 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ પછી સુરતમાં 26 અને વડોદરામાં 21 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અમદાવાદમાં હવે એક્ટિવ કેસ માત્ર 3922 જ રહ્યા છે. જ્યારે તેની સામે કુલ 7708 લોકો સ્વસ્થ થઈને ઘરે જતા રહ્યા છે. તેમજ અમદાવાદમાં અત્યાર સુધીમાં 864 લોકોના કોરોનાથી મોત થયા છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 423 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 25 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે આજે 861 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 17217 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 1063 થયો છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 62.61 ટકા થઈ ગયો છે.



નવા નોંધાયેલ કેસ પૈકી અમદાવાદ - 314, સુરત- 39, વડોદરા- 31, ગાંધીનગર- 11, મહેસાણા-6, બનાસકાંઠા-3, રાજકોટ-3, સાબરકાંઠા-3, આણંદ-2, પોરબંદર-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, પાટણ, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 22, સુરત 2 અને અરવલ્લીમાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1063 પર પહોંચ્યો છે.



રાજ્યમાં ગઈ કાલે સૌથી વધુ 861 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 10780 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 5374 એક્ટિવ કેસ છે જેમાં 65 વેલ્ટીલેટર પર છે અને 5309 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 16 હજાર 258 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 2,41, 046 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,33,005 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 8041 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.