અમદાવાદના વસ્ત્રાપુર ખાતે અંધજનમંડળમાં શ્રીરામના 9 હજાર 142માં જન્મોત્સવ નીમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોસ્મો રિસર્ચ ફાઉન્ડેશન  અને પાણીની સંસ્કૃત સંવર્ધન કેન્દ્રના સહયોગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 


રિસર્ચ ફિલ્ડમાં મહત્વનો ફાળો આપનાર પ્રોફેસર ડો.મયૂરીબેન ભાટિયાએ કહ્યું કે,  રામ શબ્દ ઉસકા અર્થ હી હૈ આનંદ, રામ ધાતૂ સે નિસ્પંન હુઆ હૈ. ત્યારબાદ ડો.વસંત ભટ્ટે રામાયણ ઈઝ બેઝ્ડ ઓન  વેદમંત્રાઝ. મૌલિક ભટ્ટે જણાવ્યું કે, રામાયણની અંદર જ્યોતિષની ખુબ વિગતો ભરેલી છે. કોસ્મો રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલની શરૂઆત થવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં શહેરના ઘણા મંદિરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 


Panchmahal: ગુજરાતના આ શિવ ભક્ત વરરાજા એવી વેશભુષામાં લગ્ન કરવા ગયા કે આખું ગામ જોતું રહી ગયું


પંચમહાલ: આજકાલ લગ્નને યાદગાર બનાવવા લોકો કરોડો રુપિયાનો ખર્ચો કરી રહ્યા છે. ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. તો બીજી તરફ લગ્નના આઉટપીટમાં પણ લોકો લાખો રુપિયા ખર્ચી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે ગોધરાના એક શિવ ભક્તે અનોખી રીતે લગ્ન કર્યા છે. જેની ચર્ચામાં સોશિયલ મીડિયા પર ખુબ થઈ રહી છે


કાછીયાવાડ વિસ્તારના રિષભ પટેલ નામના યુવકે શિવજીની વેશભૂષા ધારણ કરીને લગ્ન કર્યા હતા. રિષભ પટેલ શિવજીનો ભક્ત હોવાના કારણે તેને શિવજીના વેશમાં પ્રભુતામાં પગલા પાડવાનું નક્કી કર્યું હતું. રિષભ પટેલ શિવજીની વેશભૂષા સાથે આખા શરીરે ભસ્મ લગાવી હતી. ડીજે, ઢોલ નગારાના તાલ સાથે શહેરના મુખ્ય માર્ગ પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે લગ્ન કર્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા છે.  રિષભ પટેલના લગ્નના વરઘોડામાં અઘોરી સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.


મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની નોટિસ મામલે જાણો નગરસેવકોએ શું આપ્યો જવાબ


 મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મોરબી નગરપાલિકાના ૪૦થી વધુ નગરસેવકોએ નગરપાલિકા સુપરસીડ કરવા અંગે અપાયેલી નોટિસનો જવાબ આપ્યો છે. નગરસેવકોએ અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સમક્ષ સોગંદનામા પર પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263(1) એક હેઠળ અપાયેલી નોટિસ વ્યાજબી નહીં હોવાનો નગરસેવકોનો દાવો છે.


કલમ 263(1) હેઠળની કાર્યવાહી માટેના ઘટકો પૂર્ણ નહીં થતાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટમાં પણ સમગ્ર નગરપાલિકાની બેદરકારી હોવાનું ક્યાંય સામે નથી આવ્યું તેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે માત્ર પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે ઓરેવા કંપની સાથે કરાર કર્યો અને જનરલ બોર્ડની મંજૂરી પણ ના લીધી ત્યારે આવા કરાર માટે તમામ નગર સેવકો જવાબદાર ઠેરવી શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી