અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે.  દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં ઘણી જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનના ફાંફાપડી રહ્યા છે. બે દિવસ અગાઉની જાહેરાત બાદ AHNA ને રેમડેસિવિર ઇન્જેક્શન મળ્યા નથી.



AMC એ બે દિવસ અગાઉ કરેલી જાહેરાત બાદ AHNA ને માત્ર 450 રેમડેસિવિર આપવામાં આવ્યા હતા. શુક્રવનારે 450 ઇન્જેક્શનના ડોઝ પૂર્ણ થયા બાદ હાલ સુધી ઇન્જેક્શનના ડોઝ  ન મળ્યા હોવાથી દર્દીઓના પરિવારજનો AHNA ની ઓફિસે ધક્કા ખાઈ રહ્યા હોવાનું AHNA જોઈન્ટ સેક્રેટરીએ જણાવ્યું હતું. 200 થી વધુ દર્દીઓ ધક્કા ખાઈ રહ્યા છે પણ હજી AMC એ ઇન્જેક્શન પુરા પાડ્યા નથી તેમ ઉમેર્યું હતું.


Remdesivir injectionને લઇને AMCએ મોટો નિર્ણય લીધો છે. હવેથી AHNA અંતર્ગત આવતી ખાનગી હોસ્પિટલમાં Remdesivir injection 670 રૂપિયામાં મળશે. AMC આ માટે AHNA અંતર્ગત આવતી ખાનગી હોસ્પિટલને ઇન્જેક્શન પુરા પાડશે. પ્રથમ દિવસે AHNA અંતર્ગત આવતી હોસ્પિટલમાં 450 નંગનો ઉપયોગ કરાયો હતો.  મહત્વનું છે કે દર્દીનો RTPCR રિપોર્ટ, આધારકાર્ડ અને હોસ્પિટલના ડોકટરના પ્રિસ્ક્રીપશનના આધારે AMC Remdesivir injection પુરા પાડશે.


અમદવાદમાં શું છે કોરોનાની સ્થિતિ


શુક્રવારે અમદાવાદ શહેરમાં કોરોના (coronavirus)ના નવા 2 હજાર 842 કેસ નોંધાયા હતા અને 25નાં મૃત્યુ થયા હતા. શહેરમાં બે દિવસની અંદર કોરોનાના કુલ ૫ હજાર ૪૭૩ કેસ નોંધાવાની સાથે કુલ ૫૨ લોકોના મોત થતાં કોરોના સંક્રમણની ભયાવહ પરિસ્થિતિ જોવા મળી રહી છે.નસૌથી મહત્વની બાબત શહેરમાં સતત વધી રહેલા એકિટવ કેસની સંખ્યા છે. શુક્રવારે એકિટવ કેસની સંખ્યા ૧૨ હજાર ૭૫૧ ઉપર પહોંચી ગઈ છે. જે પ્રમાણે શહેરમાં સંક્રમણની સ્થિતિ ખરાબ થઈ રહી છે એને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી મોટાભાગના સ્ટાફને કોવિડ સંબંધી કામગીરી સોંપવાની ફરજ પડી છે.  અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા હવે ૯૦ હજાર ૬૦૫ ઉપર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2 હજાર 505 પર પહોંચ્યો છે. શહેરમાં શુક્રવારે 491 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 73 હજાર 23 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.