અમદાવાદઃ કેંદ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી છે. ત્યારથી લોકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. છેલ્લા બે દિવસથી બેંક અને એટીએમ બંધ છે. ત્યારે આજથી એટીએમ પણ શરૂ થઇ ગયા છે. જેના લીધે તમામ બેંકનાં એટીએમમાં લાંબી લાઇનો જોવા મળી રહી છે. તો બીજી તરફ બેંકમાં જૂની 500 અને 1000 ની નોટો બદલવા માટે પણ લાંબી લાઇનો જોઇ શકાય છે. ત્યારે અમદાવાદના નરોડામાં આવેલા એસબીઆઇ બેંકમાં નોટો જમા કરાવવા ગયેલા વ્યક્તિ પાસેથી 500 અને 1000 રૂપિયાના દરની 50 હજાર રોકડા રકમની ચોરી થઇ હતી. ચોર ટોળકી આ નોટ સહિત બે પાસ બુક પણ ચોર ગઇ હતી. 1000 અને 500 ની ચલણી નોટો બદલાતા ચોર ટોળકી સક્રિય થઇ છે.