અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી મહિલાનું કોરોનાથી મોત થયું છે. ૩૦ વર્ષીય મહિલા એરપોર્ટ પર સફાઈકામદાર હતી. મોડાસાના લીંભોઇની પરિણીતાના મોત મામલે બેદરકારી સામે આવી છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી જ વેન્ટિલેન્ટર લગાવાયું. જોકે, કોરોના પોઝિટિવ આવ્યાના બે કલાકમાં જ મહિલાનું મોત થઈ ગયું હતું.


મહિલાને સારવાર માટે અમદાવાદ સિવિલથી હિંમતનગર ખસેડાઇ હતી. રિપોર્ટ બાકી હોય તો વેન્ટીલેટરનો ઉપયોગ નહીં થતાં મૃત્યુઆંક વધ્યો છે. મોડાસાથી હિંમતનગર કોવીડમાં જતા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 38 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 366 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 22067 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1385 પર પહોંચ્યો છે.