અમદાવાદઃ આગામી 21મી ફેબ્રુઆરીએ છ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના દાવેદારો પાર્ટી નામ જાહેર કરે તેની રાહ જોઇ રહ્યા છે. જોકે, અમદાવાદ કોંગ્રેસમાં ઉમેદવારની યાદી જાહેર થતા પહેલા પ્રચાર શરૂ કરી દેવાયો છે.


સરદારનગર વોર્ડના પૂર્વ કાઉન્સિલર ઓમપ્રકાશ તિવારીએ પ્રચાર શરૂ કરી દીધો છે. કાર્યકર્તાઓ સાથે પૂર્વ કાઉન્સિલરે પ્રચાર શરૂ કર્યો છે. એક તરફ કોંગ્રેસમાં ટિકિટ મામલે ઘમાસાણ તો એક તરફ ઇચ્છુક દાવેદારે પ્રચાર શરૂ કરી દીધો છે. ટિકિટ મળે કે ન મળે અમે લોકોની વચ્ચે જવાની શરૂઆત કરી દીધી છે, તેમ પૂર્વ કાઉન્સિલરે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, અમને વિશ્વાસ છે કે પાર્ટી ટિકિટ તો આપશે, પણ તેની સાથે સરદારનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલ આવશે.