અમદાવાદના ખાડીયા વોર્ડના પૂર્વ કોર્પોરેટર મયૂર દવેએ સી.આર. પાટીલના આ નિર્ણય મુદ્દે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, મારી ઇચ્છા તો ચૂંટણી લડવાની છે. મેં સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ દાવેદારી નોંધાવી હતી. બીજું કે જે સિનિયર કાઉન્સિલરોને પાર્ટી ચૂંટણી નહીં લડાવે, તો કોર્પોરેશનની અંદર અધિકારીઓ બેફામ બની જશે. કમિશનર કોઈને ગાંઠશે જ નહીં. કારણ કે, મને ખબર છે કે, લોકડાઉન દરમિયાન વિજય નેહરા સાહેબ હતા, અમે ફોન કરતા તો ફોન રિસિવ નહોતા કરતા. પછી અમારે ઇ-મેલ કરવા પડતા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, સિનિયર કાઉન્સિલરો અનુભવો પણ કામમાં આવશે. એનો લાભ પ્રજાને પણ મળશે અને પાર્ટીને પણ મળશે. બીજા વોર્ડમાં પણ અમે લોકોએ ઉપરવટ જઈને કામ કરાવેલા છે. અમે કમિશનરને કહેતા આ કામ કાયદેસરનું છે, કરવું જ પડશે. અમે ઉપર ઉભા રહીને કામ કરાવડાવીએ છીએ. જે અમારા અનુભવના કારણે કામ થાય છે. જો ચૂંટણી નહીં લડાવે તો આ અનુભવનો પણ નુકસાન થશે.