અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એમાં પણ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સૌથી વધુ છે. ત્યારે નવા 302 કેસ સાથે શહેરમાં કોરોનાના 15143 કેસ નોંધાયા છે. ગઈ કાલે નવા 211 લોકો સાથે અત્યાર સુધી 10,891 લોકો ડિસ્ચાર્જ થયા હતા. 23ના મોત સાથે કોરોનાના કારણે અત્યાર સુધી 1095 લોકોના મરણ થયા છે.


અમદાવાદના પૂર્વ ઝોનના નિકોલની સમસ્યામાં વધારો થયો થયો છે. બે દિવસમાં જ નિકોલમાં કોરોના ના 41 કેસ નોંધાયા છે. શાહીબાગ અને અમરાઈવાડીમાં23-23 કેસ છેલ્લા બે દિવસમાં નોંધાયા છે. જ્યારે વસ્ત્રાલમાં છેલ્લા બે દિવસમાં ૨૫, તો અસારવા અને વટવામાં 21-21 કેસ નોંધાયા છે. ઓઢવમાં 22 કેસ છેલ્લા બે દિવસમાં નોંધાયા છે. હાલ શહેરમાં 3159 કોરોનાના એક્ટિવ કેસ છે. નવા કેસમાંથી 196 કેસ નદીની પૂર્વ ભાગના છે. જ્યારે 106 નદીના પશ્ચિમ ભાગના કેસ છે.

કયા વિસ્તારમાં કેટલા નોંધાયા કેસ?

મધ્ય ઝોન
અસારવા 11
દરિયાપુર 3
જમાલપુર 1
ખાડિયા 7
શાહીબાગ 11
શાહપુર 2
પૂર્વ ઝોન
અમરાઈવાડી 8
ભાઈપુરા હાટકેશ્વર 2
ગોમતીપુર 7
નિકોલ 21
ઓઢવ 11
રામોલ હાથીજણ 1
વસ્ત્રાલ 12
વિરાટનગર 7

ઉત્તર પશ્ચિમ ઝોન
બોડકદેવ 8
ચાંદલોડિયા 7
ઘાટલોડિયા 8
ગોતા 5
થલતેજ 1

ઉત્તર ઝોન
બાપુનગર 14
ઇન્ડિયા કોલોની 8
કુબેરનગર 4
નરોડા 5
સેજપુર બોઘા 10
સરસપુર રખિયાલ 2
સરદારનગર 5
ઠક્કરબાપાનગર 7
દક્ષિણ પશ્ચિમ ઝોન
જોધપુર 11
મક્તમપુરા 5
સરખેજ 2
વેજલપુર 11
દક્ષિણ ઝોન
બહેરામપુરા 3
દાણીલીમડા 4
ઇન્દ્રપુરી 2
ઇસનપુર 3
ખોખરા 3
લાંભા 3
મણિનગર 9
વટવા 10

પશ્ચિમ ઝોન
ચાંદખેડા 1
નારણપુરા 4
નવાવાડજ 5
નવરંગપુરા 9
એસ પી સ્ટેડિયમ 1
પાલડી 6
રાણીપ 13
સાબરમતી 3
વાસણા 7