અમદાવાદ:  અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં જમીન ઘસી ગઈ છે. આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. પાર્ક કરેલી બેથી ત્રણ કાર ખાડામાં પડી ગઈ છે. સ્થાનિકોએ જણાવ્યું કે 2001ના ભૂકંપની યાદ આવી ગઈ છે. અદાણી ગેસની પાઈપલાઈન પર દિવાલ પડી છે. અંડરગ્રાઉન પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે.  ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.  જે જગ્યાએ દિવાલ ઘસી ગઈ છે ત્યા નજીકમાં કંસ્ટ્રક્શન કંપનીનું કામ ચાલી રહ્યું છે. જાસ્મીન ગ્રીન 1માં દિવાલ ઘસી પડવાની ઘટના બની છે.


ગુજરાત કોરોના વાયરસ કેસ 


 ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 347   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 4464  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 40 લોકો વેન્ટીલેટર પર છે. 4424 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1205543 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10902 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 6 લોકોના મોત થયા છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 128, વડોદરા કોર્પોરેશનમાં 36, વડોદરા 23,  બનાસકાંઠા 19, ગાંધીનગર કોર્પોરેશન 16,રાજકોટ કોર્પોરેશન 13, આણંદ 12, રાજકોટ 12, અરવલ્લીમાં 9 કેસ નોંધાયા છે. 


બીજી તરફ આજે  887 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74  ટકાએ પહોંચ્યો છે. આજે 1,60,799 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 6 લોકોના મોત થયા છે.  અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશનમાં  2   કોરોના દર્દીનું મોત થયું હતું.


અત્યાર સુધીમાં કુલ 1205543  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 12 ને પ્રથમ અને 46 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2088 ને પ્રથમ અને 6999 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9118 ને પ્રથમ અને 47876 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 5299 ને પ્રથમ અને 74466 ને બીજો ડોઝ અપાયો હતો. 14895 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,60,799  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,22,89,699 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.