Ahmedabad Plane Crash Live Updates: વિમાન દુર્ઘટનાના ત્રીજા દિવસે વધુ એક મૃતદેહના અવશેષ મળ્યા

Ahmedabad Plane Crash Live Updates: 12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે.

gujarati.abplive.com Last Updated: 14 Jun 2025 02:52 PM

બ્રેકગ્રાઉન્ડ

Ahmedabad Plane Crash Live Updates: 12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે. આજે તેમના...More

વિજયભાઈના નિધનથી રાજકોટ શોકમાં, શાળા, વેપાર ધંધા તમામ સજ્જડ બંધ

અમદાવાદ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું નિધન થયું છે. વિજયભાઈના નિધનથી સમગ્ર રાજકોટમાં શોકનો માહોલ છે. રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજકોટની તમામ બજારો આજે સજ્જડ બંધ છે. વેપારીઓએ આજે બંધ પાળ્યો છે.