અમદાવાદ: વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગઈકાલે રિવરફ્રન્ટ પર પોતાના દીકરા સાથે ફરવા આવેલ એક દંપત્તિ સાથે દુર્ઘટના ઘટી હતી. હકિકતમાં જ્યારે આ દંપત્તિ રિવરફ્રન્ટમાં બેઠું હતું ત્યારે તેમનો દીકરો નદીમાં પડી ગયો હતો. જે બાદ પોલીસે બોટ મારફતે રેસ્ક્યુ કરી સુરક્ષિત રૂપે બહાર કાઢ્યો હતો.




આ અંગે વિગતે વાત કરીએ તો મહંમદ જુબેર ગુલામ મુસ્તુફા શેંખ નામના વ્યક્તિ પોતાની પત્ની ફરહોના તથા 3 વર્ષના દિકરા મહંમદ યુહાન સાથે રીવરફ્ર્ન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિવરફ્ર્ન્ટ વોક-વેના ભાગે ફરવા માટે આવ્યા હતા.  સ્કાઈલાઈન નજીક સરદાર બ્રિજ નીચે રિવરફ્ર્ન્ટની બેઠક ઉપર બેઠેલ હતા, તે સમયે વખતે નાનો દીકરો મહંમદ યુહા રમકડા સાથે રમતો હતો. તે દરમિયાન રમકડું સાબરમતી નદીમાં પડતા બાળક પણ સાબરમતી નદીમાં પડ્યું. જેને બચાવવા બાળકની માતા ફરહોના તથા પિતા મહંમદ જુબેર પણ નદીમાં પડ્યા, પરંતુ તેઓને તરતા આવડતુ ન હતુ. જેથી તેઓ ડુબવા લાગ્યા.


 આ વખતે જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની પી.સી.આર. ગાડીના ઓ.એસ.ડી. ભરત ગંભુભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ અરવીંદભાઇ મોતીભાઇએ રસો નાખી બચાવવાનો પ્રયાસ કર્યો. તે દરમ્યાન રીવરફ્ર્ન્ટ તરફથી રાખવામાં આવેલ બોટ તાત્કાલિક બોલાવી સહી સલામત નદીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આમ ત્રણેયનો જીવ બચાવી ઉત્તમ કામગીરી કરી હતી.


સ્ટેટ મોનિટરિંગ સેલે ગાડીનો પીછો કરી 6925 દારૂની બોટલ ઝડપી


 ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બનાસકાંઠામાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.  વિજિલન્સે રાજસ્થાન તરફથી આવતી બે ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.  કોતરવાડા કેનાલથી દેવપુરા કેનાલ સુધી ગાડીનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપયો છે. 


8,26,643 રૂપિયાના મુદ્દા માલ સાથે 6925 દારૂની બોટલ મળી આવી છે.  ગાડી સહિત 14,26,643 નો મુદ્દા માલ કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાવ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


ડીસામાં 23 વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી


ડીસાના ધુળિયાકોટ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. સાગર ઠાકોર નામના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. હાલમાં ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવકે શા માટે આત્મહત્યા કરી. યુવકના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો છે.