Ahmedabad Rath Yatra Live: 148મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: રાત્રે 9:30 વાગ્યે ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા

Ahmedabad Rath Yatra Live: વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું

gujarati.abplive.com Last Updated: 27 Jun 2025 09:47 PM

બ્રેકગ્રાઉન્ડ

Ahmedabad Rath Yatra Live: આજે  અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારના 4 વાગ્યથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે....More

148મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: રાત્રે 9:30 વાગ્યે ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા

જગન્નાથજી મંદિર, અમદાવાદ દ્વારા આયોજિત 148મી ભવ્ય રથયાત્રા આજે રાત્રિના 9:30 કલાકે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથ લાંબી નગરચર્યા બાદ સકુશળ નિજ મંદિર પરત ફર્યા હતા. રથોના નિજ મંદિર પરત ફરતાની સાથે જ વાતાવરણ "જય રણછોડ, માખણચોર" ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તિ અને શ્રદ્ધાના અદ્ભુત સંગમનો અનુભવ કરાવતો હતો.