કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં બેડ, ઓક્સિજન, આઇસીયુની ઘટ હોવાનો કોણે કર્યો દાવો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Sep 2020 06:53 PM (IST)
અન્ય રાજ્ય અને અન્ય જિલ્લામાંથી શહેરમાં અવરજવર વધી હોવાથી કેસો વધી રહ્યા હોવાનો દાવો પણ એએમએ દ્વારા કરાયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એમાં પણ અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે. ત્યારે અમદાવાદના લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. હાલ, અમદાવાદમાં બેડ, ઓક્સિજ,ICUની ઘટ હોવાનો અમદાવાદ મેડિકલ એસોસિએશને દાવો કર્યો છે. તેમજ વધી રહેલા કોરોના કેસને લઈ એએમએ દ્વારા રાજ્ય સરકાર પાસે મહત્વની માંગ કરવામાં આવી છે. તેમણે અમદાવાદના દર્દીને પ્રાથમિક આપવાની માંગ કરી છે. અન્ય રાજ્ય અને અન્ય જિલ્લામાંથી શહેરમાં અવરજવર વધી હોવાથી કેસો વધી રહ્યા હોવાનો દાવો પણ એએમએ દ્વારા કરાયો છે. છેલ્લા એક સપ્તાહમાં 250 કેસ મધ્યપ્રદેશ, રાજસ્થાનથી આવેલા લોકોના નોંધાયા છે. હાલ અમદાવાદમાં બેડ, ઓક્સિજન, ICUની ઘટ હોવાનો પણ AMAએ દાવો કર્યો છે તેમજ હાલની સ્થિતિને જોતા અમદાવાદના સ્થાનિક દર્દીનો ઈલાજ જરૂરી હોવાનું જણાવ્યું છે.