Ahmedabad News: અમદાવાદમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની રહી છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો માટે ચેતવણીજનક સમાચાર છે. સ્માર્ટ સીટી અમદાવાદમાં ટ્રાફિક હળવો કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો નુસખો અપનાવ્યો છે. શહેરમાં ટ્રાફિકથી ધમધમતા મોટા સિગ્નલ પર યલો રંગની ડિઝાઇન કરાઈ છે. આ યલો રંગની ડિઝાઇન વાહન ચાલકોને એલર્ટ કરવા સૂચન કરે છે. અમુક સેકન્ડો બાકી હોય તો પણ વાહનચાલક ક્રોસ નહીં કરી શકે. હવેથી અમુક સેકન્ડ બાકી હોય ત્યારે વાહન ચાલકોએ ઉભા સિગ્નલ પર રહેવું પડશે. શહેરના 25 સિગ્નલને યલો રંગની ડિઝાઇન કરવામાં આવશે. જે વાહનચાલકોને ઝડપી વાહન ન ચાલવવા અને અમુક સેકન્ડ પહેલા જ રોકવા માટે ચેતવણી આપી રહ્યા છે.


અમદાવાદમાં સૌથી પહેલા ક્યાં કરવામાં આવી શરૂઆત


અમદાવાદમાં સૌથી પહેલા પાંજરાપોળ સિગ્નલ પર ડિઝાઇન દોરવાની શરૂઆત કરવામાં આવી છે. ટ્રાફિકની ગીચતાને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભિનવ પ્રયોગ કરી પાંજરાપોળ ચાર રસ્તા ઉપર બોકસ માર્કીંગ કર્યુ છે.બોકસ માર્કીંગ કરવાથી આ સ્પોટ ઉપર કોઈપણ વાહન ઉભુ રાખવા કે તેને પાર્ક કરી શકાશે નહીં.આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 25 જેટલા ટ્રાફિક જંકશનને ડેવલપ કરાશે.ઉપરાંત તમામ જંકશન માટે યુનિફોર્મ સાઈનેઝ પોલીસી બનાવીને તેનો અમલ કરવામાં આવશે.




શહેરમાં તબકકાવાર પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે


અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા તથા રોડ અકસ્માતને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા મ્યુનિ.ના ટ્રાફિક વિભાગને કેટલાક ઉપયોગી સુચન કરવામા આવ્યા હતા.જેના ભાગરુપે શહેરમાં સૌ પ્રથમ વખત પાંજરાપોળ ચાર રસ્તા ઉપર પીળા કલરની માર્કીંગ કરી બોકસ માર્કીંગ કરવામાં આવ્યુ છે.બોકસ માર્કીંગ કરેલા એરિયામાં વાહન ચાલક પોતાનુ વાહન ઉભુ રાખી શકશે નહીં કે થોડીવાર માટે પાર્ક પણ કરી શકશે નહીં.આવનારા સમયમાં ટ્રાફિકની ગીચતા ધરાવતા ૨૫ જેટલા ટ્રાફિક જંકશનને મ્યુનિ.તંત્ર દ્વારા ડેવલપ કરાશે.. ડેવલપ કરવામા આવનારા તમામ ટ્રાફિક જંકશન ઉપર શહેરીજનોની અવેરનેસ માટે મુકવામા આવતા વિવિધ પ્રકારના સાઈનેઝ પણ દરેક જંકશન ઉપર એકસરખા જ રાખવામા આવશે.આ માટે ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક યુનિફોર્મ પોલીસી બનાવી તબકકાવાર તેનુ અમલીકરણ કરવામા આવશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial