અમદાવાદઃ 1000 અને 500 ની નોટ રદ્દ થતા સમગ્ર દેશ મુશ્કેલીમાં મુકાયો છે. લોકો રદ્દ થયેલી જુની નોટો સગેવગે કરવા માટે કામે લાગી ગયા છે. નોટ બંધી બાદ સરકારી કચેરીઓ નગરપાલિકા, મહાનગરપાલિકા, રેલવે સ્ટેશન, એસ.ટી. પોસ્ટઓફિસ જેવી જગ્યાએ જુની નોટો 24 નવેમ્બર સુધી સ્વીકારમાં આવશે. ત્યારે લોકો બચેલી નોટોને સરકારી કચેરીઓને પધરાવી રહ્યા છે. પહેલા સરકાર દ્વારા લોકોને વારંવાર નોટિસ આપવા છતા પણ ટેક્સ ભરવાનું નામ નહોતા લેતા. ત્યારે 500 અને 1000 ની નોટ રદ્દ થતા લોકો પોતાના જુના ટેક્સ ભરવા માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાએ દોડી રહ્યા છે.


જુની નોટ રદ્દા થતા અમદાવાદ એએમસીને 10 દિવસમાં 117 કરોડની પ્રોપટી ટેક્ની જંગી આવક થઇ હતી. ગયા વર્ષે 2015-16 માં 425 કરોડની પ્રોપટી ટેક્સની આપવક થઇ હતી. તો આ વર્ષે તે આવક વધીને 555.31 કરોડ થઇ ગઇ છે.