અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરને  વિશેષ દરજજો આપતી કલમ 370 રદ કરવાનું પુનર્ગઠન બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બિલ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર અને સરકારી ગેઝેટ નોટિફીકેશન બાદ કેન્દ્રશાસિત પ્રદેશોના વિભાજનની પ્રક્રિયા શરૂ થશે.  સાથે જ જમ્મુ-કાશ્મીર વિધાન પરિષદને ભંગ કરીને સમાપ્ત કરી દેવામા આવશે. કલમ 370 રદ કરવાના મુદ્દાને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ પણ યોગ્ય ગણાવ્યો છે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અનુચ્છેદ 370 દૂર કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. હાઇકોર્ટમાં એક કેસમાં જુબાની આપવા પહોંચેલા ભરતસિંહ સોલંકીને જયારે કલમ 370 દૂર કરવાના નિર્ણય બાબતે મીડિયા કર્મીઓએ તેમની પ્રતિક્રિયા પૂછી ત્યારે તેમણે સરકારના નિર્ણયને સમયોચિત યોગ્ય ગણાવ્યો.

એક બાજુ કોંગ્રેસે સંસદમાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલનો વિરોધ કર્યો અને અનુચ્છેદ 370 હેઠળના વિશેષાધિકાર દૂર કરવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો, ત્યાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે આ નિર્ણયને સમયોચિત યોગ્ય તો ગણાવ્યો, પણ સાથે હજુ વધુ તકેદારી રાખવાનું પણ કહ્યું હતું.

રિતિક રોશનના નાનાનું થયું નિધન, અમિતાભ-ધર્મેન્દ્ર સહિત અનેક સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

આ રાજ્યના મુખ્યમંત્રીની પત્નીએ અજાણ્યા વ્યક્તિને આપ્યો OTP ને લાગ્યો 23 લાખનો ચુનો, જાણો વિગત

ટીમ ઈન્ડિયાના આ બોલરને એક વર્ષ બાદ રમવાનો મળ્યો મોકો, 3 વિકેટ લઈને રચી દીધો ઈતિહાસ, જાણો વિગત