= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
25 વર્ષમાં ભાજપ નેતાઓ ભ્રષ્ટાચાર ખતમ ના કરી શક્યા : કેજરીવાલ રોડશોમાં કેજરીવાલે દાવો કર્યો કે દિલ્હી, પંજાબ ની કોઈ પણ સરકારી કચેરીમાં જઇ ને જુઓ. પંજાબમાં 10 દિવસમાં ભ્રષ્ટચાર ખતમ જ્યારે ગુજરાતમાં 25 વર્ષમાં ભાજપ નેતાઓ ભ્રષ્ટાચાર ખતમ ના કરી શક્યા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રોડશોમાં સામેલ થવા રૂપિયા વહેંચાયાનો વિડીયો વાયરલ અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રોડ શોમાં સામેલ થવા માટે રૂપિયા વહેચાતા હોવાનો એક વિડીયો વાયરલ થયૉ છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક યુવાનો આમ આદમી પાર્ટીનો ખેંસ અને રૂપિયા આપતા દેખિઅ રહ્યાં છે. આ વિડીયો રોડશો પહેલાંનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયો ભાજપ નેતા અમિત માલવિયાએ ટ્વીટ કર્યો છે, જુઓ આ વિડીયો -
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેજરીવાલે કહ્યું ‘કેમ છો?’ રોડશો શરૂ કરતા અરવિંદ કેજરીવાલે ઇન્ક્લાબ ઝિંદાબાદ અને ભારતમાતા કી જય ના નારા લગાવડાવ્યાં અને આ સાથે જ રોડશોમાં હાજર લોકોને પૂછ્યું ‘કેમ છો? ..મજામાં ?
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ડાંગી નૃત્ય દ્વારા કેજરીવાલ, માનનું સ્વાગત આમ આદમી પાર્ટીના રોડશોમાં એક બાજું ગુજરાતના ગરબાની તો બીજી બાજુ ડાંગી નૃત્ય પણ જોવા મળ્યું. રોડશોમાં કેજરીવાલ અને ભગવંત માનનું ડાંગી નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રોડશોમાં ગરબા અરવિંદ કેજરીવાલના રોડશોમાં ગુજરાતનું લોકનૃત્ય ગરબા પણ રજૂ કરવામાં આવ્યા છે. આનો એક વિડીયો આમ આદમી પાર્ટીએ એક વિડીયો શેર કર્યો છે. જુઓ આ વિડીયો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અરવિંદ કેજરીવાલનો રોડશો શરૂ નિકોલથી અરવિંદ કેજરીવાલનો રોડ શો શરૂ થઇ ગયો છે. આ અંગે આમ આદમી પાર્ટીએ લખ્યું, “ગુજરાતમાં બદલાવનો શંખનાદ”. આ સાથે જ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના રોડ શોમાં સમગ્ર ગુજરાતમાંથી આપ કાર્યકરો ઉમટી પડ્યાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાજપનો અહંકાર બોલે છે : ગોપાલ ઈટાલીયા જીતુ વાઘાણીના નિવેદન અંગે આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે ઘણા વર્ષોથી સત્તામાં રહેનાર ભાજપનો અહંકાર બોલે છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા છે તો તેમનું ખેલદીલીથી સ્વાગત કરવું જોઈએ તેના બદલે અપમાન કરે છે. આ સત્તાના નશામાં ધુત થયેલ મંત્રી જીતુ વાઘાણી બોલે છે. ગોપાલ ઈટાલીયાએ કહ્યું મુખ્યમંત્રી મુખ્યમંત્રી કક્ષાના જ હોય છે આટલી સાદી સમજણ ગુજરાતના ભાજપના નેતાઓએ કેળવવાની જરુર છે. દિલ્હીના મુખ્યમંત્રીને ઉતારી પાડવાથી ગુજરાતની ભાજપની સરકાર પોતાની નિષ્ફળતા ધોઈ નહીં શકે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નિમ્નકક્ષાની રાજનતી કરી રહ્યા છે : ઈસુદાન ગઢવી જીતુ વાઘાણીના નિવેદન અંગે આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જીતુ વાઘાણીએ મંત્રી કક્ષાના છે ત્યારે તેમનું નિવેદન નિમ્નકક્ષાનું છે. જીતુ વાઘાણી નિમ્નકક્ષાની રાજનતી કરી રહ્યા છે. માણસ દરેકે પોતાનું સન્માન જાળવવું જોઈએ અને બીજાનું પણ સન્માન જાળવવું જોઈએ. કોઈને ઉતારી પાડવું તે ગુજરાતની સંસ્કૃતિ નથી. આ માત્ર અરવિંદ કેજરીવાલનું અપમાન નહીં પણ ગુજરાતની જનતાનું અપમાન છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેજરીવાલ મોટા શહેરના મેયર : જીતુ વાઘાણી અરવિંદ કેજરીવાલના રોડશો અંગે ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે. જીતુ વાઘાણીઆ એ કહ્યું કે ગુજરાત દરેક અતિથીને આવકારે છે.ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપશે એ નક્કી છે. પ્રવસીઓ ગુજરાત આવે અને જાય છે. એક મોટા શહેરના મેયર હતા જે ગુજરાત આવ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રોડશોમાં મહોલ્લા ક્લિનિકનો ટેબ્લો અરવિંદ કેજરીવાલના રોડશોમાં આમ આદમી પાર્ટી મહોલ્લા ક્લિનિકનો ટેબ્લો મુક્યો છે. આ ટેબ્લો રોડશો દરમિયાન નિર્ધારિત રુટ પર ફેરવવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગાંધી આશ્રમ આવીને શાંતિ મળે છે : કેજરીવાલ ગાંધી આશ્રમની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અહીં આવીને શાંતિ મળે છે. પંજાબમાં મોટા ભાગના ઘરમાં આજે પણ મહિલાઓ ચરખો કાંતે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હું પોતાને ધન્ય માનું છું : કેજરીવાલ ગાંધી આશ્રમની મુલાકાત બાદ પત્રકારોને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું પોતાને ધન્ય માનું છું કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો એ દેશમાં મારો પણ જન્મ થયો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી દિલ્હી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે.ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ હૃદયકુંજની પણ મુલાકાત લીધી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અરવિંદ કેજરીવાલનો દોઢ કિમી લાંબો રોડશો આજે સાંજે ચાર વાગ્યે નિકોલના ખોડિયાર મંદિરથી સરદાર મોલ સુધી દોઢ કિલોમીટરનો રોડ શૉ યોજશે. અરવિંદ કેજરીવાલના રોડ શોનુ નામ તિરંગા યાત્રા આપવામાં આવ્યું છે.