અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે ધીરે ધીરે સંક્રમણ ઘટી રહ્યું છે, ત્યારે હવે ફરી એકવાર જનજીવન ધબકતું થઈ રહ્યું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા એસટીના રૂટ ફરી શરૂ થયા છે.


એસટીમાં મુસાફરી કરતાં લોકો માટે મોટા રાહતના સમાચાર છે. આજથી તમામ એસટી બસો રાબેત મુજબ શરૂ થઈ ગઈ છે. કોરોનાના કેસો ઘટા એસટિ નિગમ દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પહેલા કોરોના વાયરસનો પ્રકોપ વધવાને કારણે એસટી બસોના સંચાલનમાં ઘટાડો કરવામાં આવ્યો અને અને અનેક રૂટની બસો બંધ કરવામાં આવી હતી અથવા તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જોકે હવે કેસો ઘટા તમામ રૂટો પર એસટીની બસતો દોડી થઈ ગઈ છે. કોરોનાના કેસો ઘટતા નિયમો હળવા કરાયા છે અને ફરીથી રાજ્યમાં એસટી બસોનું સંચાલન રાબેતા મુજબ કરાયું છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2521 નવા કેસ નોંધાયા હતા અને 27 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9761 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 7965 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,50,015 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 43611 પર પહોંચ્યો છે. જેમાંથી 562 દર્દી વેન્ટિલેટર પર અને 43049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.36  ટકા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોપોરેશન 336, વડોદરા કોપોરેશન 308, સુરત કોપોરેશન 228, વડોદરા 172, રાજકોટ કોર્પોરેશન 122, સુરત 84, અમરેલી 80,   જુનાગઢ 75, જુનાગઢ કોપોરેશન 69, રાજકોટ 68,  ગીર સોમનાથ 67, પોરબંદર 66, પંચમહાલ 65, નવસારી 60, ભરૂચ 57,  જામનગર કોપોરેશન 53, કચ્છ 53, આણંદ 51, બનાસકાંઠા 51, સાબરકાંઠા 42, ભાવનગર કોર્પોરેશન 38,  ખેડા 38, મહેસાણા 35, વલસાડ 35, જામનગર 30, મહીસાગર 27,  દેવભૂમિ દ્વારકા 26, ગાંધી કોર્પોરેશન 26, દાહોદ 23, ગાંધીનગર 21, ભાવનગર 20, પાટણ 20, નર્મદા 19, અરવલ્લી 18, અમદાવાદ 12, સુરેન્દ્રનગર 11, મોરબી 6, તાપી 6, છોટા  ઉદેપુર 2,  બોટાદ 1 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 2521  નવા કેસ નોંધાયા છે.


ક્યાં કેટલા મોત થયા ?


અમદાવાદ કોપોરેશન 7, વડોદરા કોપોરેશન 2, સુરત કોપોરેશન 2, વડોદરા 1, રાજકોટ કોર્પોરેશન 0, સુરત 0, અમરેલી 1,   જુનાગઢ 1, જુનાગઢ કોપોરેશન 0, રાજકોટ 1,  ગીર સોમનાથ 1, પોરબંદર 0, પંચમહાલ 0, નવસારી 0, ભરૂચ 0,  જામનગર કોપોરેશન 1, કચ્છ 0, આણંદ 1, બનાસકાંઠા 0, સાબરકાંઠા 0, ભાવનગર કોર્પોરેશન 0,  ખેડા 0, મહેસાણા 2, વલસાડ 0, જામનગર 1, મહીસાગર 1,  દેવભૂમિ દ્વારકા 1, ગાંધી કોર્પોરેશન 0, દાહોદ 0, ગાંધીનગર 0, ભાવનગર 1, પાટણ 2, નર્મદા 0, અરવલ્લી 1, અમદાવાદ 0, સુરેન્દ્રનગર 0, મોરબી 0, તાપી 0, છોટા  ઉદેપુર 0,  બોટાદ 0 અને ડાંગમાં 0  મોત  સાથે કુલ 27  મોત નોંધાયા છે.


રાજ્યમાં ગઈકાલે કુલ  2,36,541 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં સાજા થવાનો દર  93.36 ટકા છે.