Dhirendra Shastri: આજે અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે, જોકે, આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, માહિતી છે કે, આજનો દિવ્ય દરબાર રદ્દ થઇ શકે છે, કેમ કે ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે દિવ્ય દરબાર સ્થાન ઓગણજમાં ગ્રાઉન્ડ પર ઠેર ઠેર પાણીના ખોબોચીયાં ભરાઇ ગયા છે, અને મોટા ભાગની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. આજે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે.


ખાસ વાત છે કે, સુરત બાદ ગાંધીનગર અને હવે આજે અમદાવાદમાં બાગેશ્વર સરકાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવવાનો હતો, પરંતુ ગઇકાલે અચાનક પડેલા ભારે વરસાદ અને પવન ફૂંકાવવાના કારણે વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ચાણક્યપુરીના સ્થાને બાબાનો દિવ્ય દરબાર ઓગણજ સ્થિત ગ્રાઉન્ડમાં યોજાવવાનો છે, પરંતુ આજે દિવ્ય દરબાર રદ્દ થવાની શક્યતા છે. કાર્યક્રમ સ્થળ પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.


 


Dhirendra Shastri: બાગેશ્વર સરકાર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં છે, આજે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનો અમદાવાદનો દિવ્ય દરબાર યોજશે, બાબાના દિવ્ય દરબારને લઇને મોટું અપડેટ સામે આવ્યુ છે, ગઇકાલે પડેલા ધોધમાર વરસાદ અને પવન ફૂંકાવવાના કારણે દિવ્ય દરબાર યોજવાના સ્થળને અસર પહોંચી છે. અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન અમદાવાદમાં આજે ઓગણજમાં થવાનું છે. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે દિવ્ય દરબાર સ્થાન ઓગણજમાં ભારે નુકશાન પહોંચ્યુ છે, અહીં ગ્રાઉન્ડ પર વ્યવસ્થા ખોરવાઈ ગઇ છે. હાલમાં આજના દિવ્ય દરબારના આયોજન અંગે પણ અસમંજસ ઉભી થઇ છે. કેમ કે ઓગણજમાં ગ્રાઉન્ડ પર કેટલીય જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે, અને ત્યાંની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.


આ પહેલા સુરતમાં ભરાયો દરબાર










બે દિવસીય બાબાનો દરબાર



સુરત બાદ હવે આજે એટલે કે 29 અને 30 મેએ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.  ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરાયો


ગઇકાલે બાબાએ કર્યા હતા અંબાજી માતાજીના દર્શન



ગઇકાલે સવારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતથી અમદાવાદ પહોંચ્યા હતા, આ પછી બાગેશ્વર મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજીમાં માતા અંબાજીના આશીર્વાદ કરવા પહોંચ્યા હતા, બાબા હેલિકૉપ્ટર મારફતે અંબાજી રવાના થયા હતા, અને દાંતા ઉતરીને અંબાજી મંદિર પહોંચ્યા હતા. બાદમાં અંબાજીથી વિશ્વ ઉમિયાધામમા માંતા ઉમિયાના દર્શન કરવા પહોંચ્કયા હતા. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે, સુરત, ગાંધીનગર બાદ આજે અમદાવાદમાં ભક્તો સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રૂબરૂ થશે. આ પહેલા ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ માં અંબાજીના દર્શન કર્યા હતા, અને બાદમાં ગાંધીનગર થઇને અમદાવાદ પરત ફર્યા હતા.