અમદાવાદ: બાબા રામદેવ સામે ગુજરાત હાઇકોર્ટમાં થઇ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજીમાં પતંજલિ પ્રોડક્ટ્સની ગુણવત્તા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પતંજલિ પ્રોડક્ટની શિલાજીતના વેચાણ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજી પર આગામી સપ્તાહમાં સુનવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે.