અમદાવાદઃ કેંદ્રની મોદી સરકાર દેશભરમાં દિવ્યાંગો માટે કામ કરી રહી છે. અને તેમના જીવન ધોરણાં સુધારો આવે તે માટે તમામ પ્રકારના પ્રયત્નો કરે છે. ત્યારે PM ના જ રાજ્યમાં દિવ્યાંગને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સરકાર હસ્તકની એક વીજ કંપનીમાં કામ કરતા કાયમી કર્મચારીને નોકરીમાંથી પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું તેનો વાંક ફક્ત એટલો જ હતો કે, તે આંખેથી જોઇ શક્તો નહોતો. ત્યાર આ મામલો હાલ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટ આ મામલે 7 નવેંબરે સુનવણી કરશે.