બ્રહ્મા પડકાર સમાજ સુરતમાં કેજરીવાલનો કરશે વિરોધ, સંગીતા ચાંડપા સામે પગલા લેવા માંગ
abpasmita.in | 30 Sep 2016 09:41 PM (IST)
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આગામી તા.16મીના રોજ સુરતના વરાછા ખાતે આવવાના છે. ત્યારે તે પહેલા જ બ્રાહ્મા પડકારના યુવા નેતા પૃથ્વી ભટ્ટે અનેક પોસ્ટ પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી છે. પૃથ્વી ભટ્ટે જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના ગીર સોમનાથના પ્રમુખ સંગીતા ચાંડપાએ થોડા સમય પહેલા બ્રાહ્મણો વિશે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેનો બ્રાહ્મા પડકાર સમાજ દ્વારા વિરોધ કરાયો હતો, અને કેજરીવાલે તેમની સામે પગલાં લેવાનું પણ વચન કર્પાયું હતું. જોકે કોઇ પગલાં ના લેવાતા હવે બ્રહ્માં પડકારના નેતાઓ અરવિંદ કેજરીવાનો તથા તેમની પાર્ટીનો ગુજરાતના સુરત ખાતે વિરોધ કરશે. એક પોસ્ટમાં તેમણે જણાવ્યું કે 5 હજાર બ્રાહ્મણો સુરત ખાતે ભેગા થવાના છે અને ત્યાં વરાછા ખાતે અરવિંદ કેજરીવાલને ચપ્પલ મારી તેનો વિરોધ કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલે વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કર્યું હોવાથી બ્રાહ્મણો તેમનો વિરોધ કરશે.