અમદાવાદઃ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલના મોટું નિવેદન સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, સત્તાપક્ષ ગાંધીજીના આદર્શ ભૂલી ગયું છે. સમગ્ર દેશના વિપક્ષે એક થવાની જરૂર છે. આજની પરિસ્થિતિમાં સુધારો નહિ થાય તો આવનારી પેઢી પર ખતરો છે. ગ્રામીણ વિસ્તારમાં 25 હજાર લોકો વચ્ચે એક જ ડોકટર છે. આ સમયે તેમણે કોંગ્રેસ તૂટવા મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું. 


કપિલ સિબ્બલે કહ્યું કે,  કોંગ્રેસ તૂટે છે તેમાં મારું કોઈ યોગદાન નથી. ક્યાં કારણથી તૂટે છે કોંગ્રેસ, ક્યાં કારણથી લોકો કોંગ્રેસ છોડે છે તે સવાલ અન્યને પૂછો. હું કોંગ્રેસનો સિનિયર છું પણ મને જાણકારી નથી હોતી. જે નિર્ણય થાય છે તેની જાણકારી મને નથી હોતી. ઘણા પ્રશ્નો અમારી સામે છે. દેશ સામે સૌથી મોટો સવાલ પેગાસસ છે. ભાજપના મંત્રીએ ગૃહમાં સ્વીકાર્યું કે દેશમાં પેગસસથી જાસૂસી થાય છે.

કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ આજે અમદાવાદની મુલાકાતે છે. ગાંધી જયંતિ નિમિતે સાબરમતી આશ્રમની મુલાકાત બાદ સિબ્બલ abp અસ્મિતા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર ગાંધીજીની માત્ર વાતો કરે છે અને ભાષણ કરે છે.  ગાંધીના આદર્શોને અમલમાં મુકતી નથી. તૂટતી કોંગ્રેસ અંગે સિબ્બલ જણાવ્યું કે કોંગ્રેસમાં લેવાતા નિર્ણયોની પોતાને કોઈ જાણકારી હોતી નથી કોંગ્રેસ અને વિપક્ષે મજબૂત થવાની જરૂર છે. કોંગ્રેસ કેમ તૂટે છે તે અંગે નિર્ણય કરનારાઓને સવાલ કરવા જોઈએ. કપિલ સિબલે ગાંધી જયંતિ નીમિતે ગાંધીજીની  પ્રતિમાના પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. તેમજ ગાંધી આશ્રમમાં બાળકોને મળ્યા હતા. 


 આજે 2 ઓક્ટોબરના ગાંધી જયંતિ નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. જેમાં સ્વચ્છતા, પર્યાવરણ, આરોગ્ય અને વેક્સિનેશનની કામગીરી અંગેના મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી. તેમજ પીંપળી ગ્રામસભાએ પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કરાયો હતો. આ સંવાદને પગલે સમગ્ર પંથકમાં ગર્વની સાથે ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. 


મહાત્મા ગાંધી જયંતિ પ્રસંગે રાજ્યભરમાં સફાઇ અભિયાન સહિત રાજ્યની 14250 ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીંપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાને સવારે-11.00 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થાય એવું આયોજન પંચાયત- ગ્રામવિકાસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 


પીપળી ગામે પ્રધાનમંત્રી સાથે સીધા સંવાદમાં સમગ્ર ગુજરાતમાંથી બનાસકાંઠાની પીપળી ગ્રામપંચાયતની સારી કામગીરીને લઈને પસંદ કરાઈ હતી. પ્રધાનમંત્રીએ ઓનલાઈન પીપળી ગામના લોકો સાથે સંવાદ કરતા પીપળી ગામના લોકો સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશી ફેલાઈ હતી. પીપળીધામની જલ જીવન મિશન અંતર્ગત ઘેર ઘેર પીવાના પાણીમાંની સુવિધા સહિત ગામમાં સ્વચ્છતા અને ગામમાં ગટર લાઈન ને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીપળી ગામ ને પસંદ કર્યું હતું. 


અમારા ગામમાં નલ સે જલ સ્વચ્છતા સહિતની  તમામ સુવિધાઓને ધ્યાને લઇ પ્રધાનમંત્રીના  સીધા સંવાદમાં અમારા ગામની પસંદગી થઈ  છે ગામમાં નલ સે જલ અંતર્ગત ઘેર ઘેર પાણીના નળને સુવિધા કરવામાં આવી છે ત્યારે  સોચક્રિયા માટે ઘેર ઘેર સૌચાલય પણ બનાવવામાં આવ્યા છે ત્યારે ગામમાં ગટર લાઈન ની સુવિધાને લઈને ગામમાં પાણીનો વેડફાટ પણ થતો નથી આમ સ્વચ્છતા પાણી અને સફાઈ પર પીપળી ગામે ભાર મૂક્યો છે જેના કારણે દેશના વડાપ્રધાને પીપળી ગામની પસંદગી કરી છે.