અમદાવાદઃ દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. હવે ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ ફેલાયું છે. છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો અમદાવાદમાં 220, બનાસકાંઠામાં 64, મહેસાણામાં 45, પાટણમાં 42 અને ગાંધીનગરમાં 59માં કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાથી કુલ 8 લોકોના મોત થયા હતા. જેમાંથી અમદાવાદ જિલ્લામાં 5 અને પાટણમાં 1 મળી કુલ 6 લોકોના માત્ર ઉત્તર ગુજરાતમાં જ મોત નીપજ્યા છે. 17મી નવેમ્બરે અમદાવાદમાં 234, મહેસાણામાં 60, બનાસકાંઠામાં 52, ગાંધીનગરમાં 58 અને પાટણમાં 34 કેસ નોંધાયા હતા. આવી જ રીતે ગત 16મી નવેમ્બરે અમદાવાદમાં 225, મહેસામામાં 45, ગાંધીનગરમાં 51, સાબરકાંઠામાં 19, પાટણમાં 18 અને બનાસકાંઠામાં 16 કેસ નોંધાયા હતા. 15મી નવેમ્બરે અમદાવાદમાં 219, મહેસામામાં 59, પાટણમાં 31, બનાસકાંઠામાં 24 અને ગાંધીનગરમાં 51 કેસ નોંધાયા હતા. 14મી નવેમ્બરે અમદાવાદમાં 215, બનાસકાંઠામાં 60, મહેસાણામાં 55, ગાંધીનગરમાં 50, પાટણમાં 30 અને સાબરકાંઠામાં 22 કેસ નોંધાયા હતા.
Date AhmedabadMehsanaPatanBanaskanthaGandhinagar Sabarkantha 
18-11-20202204542645911
17-11-20202346034525814
16-11-20202254518165119
15-11-2020219593124517
14-11-20202155530605022
Total111326415521626973