Coronavirus: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઘટ્યો કોરોના એક્ટિવ કેસનો આંકડો, જાણો કયા ઝોનમાં છે કેટલા કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Oct 2020 03:44 PM (IST)
અમદાવાદમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩૫,૪૨૭ પર પહોંચી છે. કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં ૧૭૮૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના પર કાબુ આવી રહ્યો હોય તેવું સાર્વત્રિક ચિત્ર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ માટે ફરી એક વખત રાહતના સમાચાર આવ્યા છે. શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો સતત ત્રીજા દિવસે ઘટ્યો છે. હાલ શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩૨૨૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અસારવા સિવિલમાં ૨ અને ખાનગી હોસ્પિટલમાં ૧ એમ કુલ ૩ દર્દીનાં મોત થયા છે. પશ્ચિમઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૯૩, દક્ષિણ પશ્ચિમઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૪૭૦, ઉત્તર પશ્ચિમઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૭૪, પૂર્વઝોનમાં કોરોના એકટીવ કેસનો આંકડો ૪૩૮, ઉત્તરઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩૨૩, દક્ષિણઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૫૦૪, ઉત્તરઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૩૨૩ છે. અમદાવાદમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩૫,૪૨૭ પર પહોંચી છે. કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં ૧૭૮૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની તેના ઘરેથી કેમ કરાઈ અટકાયત ? જાણો શું છે કારણ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ