અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ, ગુજરાતમાં કોરોનાની સંખ્યા વધીને 22 પહોંચી છે. જ્યારે કોરોનાને કારણે એકનું મોત થયું છે. વડોદરામાં ગઇકાલે થયેલ બે મૃતક દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલું જ નહીં, તંત્રએ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 29 લોકોને કોરોંટાઈન કર્યા છે. નોંધનીય છે કે, સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાયો છે.


ગુજરાતમાં કોરોનાના કેસ

અમદાવાદમાં 7 કેસ
સુરતમાં 5 કેસ
વડોદરામાં 5 કેસ
ગાંધીનગરમાં 3 કેસ
રાજકોટમાં 1 કેસ
કચ્છમાં 1 કેસ