ગુરુવારથી ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં 13 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સરકાર સહિત અધિકારીઓ પણ એલર્ટ થઈ ગયા છે. જેમાં અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં બે, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યાર સુધી પોઝિટિવ નોંધાયા છે. જોકે ચાર મોટા શહેરોમાં ફેલાઈ રહેલા કોરોના વાયરસને પગલે ગુજરાત સરકારે મંત્રીઓને જવાબદારી સોંપી છે.


ગુજરાત સરકાર દ્વારા મોટા મંદિરો, સ્કૂલ-કોલેજ સહિત તમામ વસ્તુ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે અમદાવાદની ઘણી તસવીરો સામે આવી છે કે હાલ અમદાવાદમાં કેવો માહોલ છે. અમદાવાદમાં એક દિવસ પહેલાં જ કરફ્યુ જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસના ડરના પગલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.


ગુજરાત સરકાર દ્વારા મોટા મંદિરો, સ્કૂલ-કોલેજ સહિત તમામ વસ્તુ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે અમદાવાદની ઘણી તસવીરો સામે આવી છે કે હાલ અમદાવાદમાં કેવો માહોલ છે. અમદાવાદમાં એક દિવસ પહેલાં જ કરફ્યુ જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસના ડરના પગલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.