અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. ત્યારે ગુજરાત સરકારના કોરોના ડેશબોર્ડ https://gujcovid19.gujarat.gov.in/ પર કોરોનામુક્ત બતાવાયેલા બનાસકાંઠા જિલ્લામાં ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ છે.


ગઈ કાલે નવા કેસો આવતાં બનાસકાંઠા જિલ્લો ફરીથી કોરોનાગ્રસ્ત થયો છે. ડેશબોર્ડ પ્રમાણે હવે બનાસકાંઠા જિલ્લામાં 15 એક્ટિવ કેસો છે. જ્યારે 890 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી દીધી છે. તેમજ 16 લોકોના અત્યાર સુધીમાં કોરોનાથી મોત નીપજ્યા છે.

ગુજરાતમાં હાલ, તાપી, પોરબંદર, પાટણ, ડાંગ, છોટાઉદેપુર, આણંદ અને અરવલ્લી એવા જિલ્લા છે, જ્યાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. તેમજ આ જિલ્લામાં 50થી વધુ એક્ટિવ કેસો નથી.