કોરોનાના કેસો બમણા થવાના રેટની વાત કરીએ તો આ દર ભારતમાં 13.97 દિવસનો છે. જેની સાપેક્ષમાં ગુજરાતમાં 24.84 દિવસનો છે. રાજ્યના લોકો માટે અન્ય પણ એક રાહતના સમાચાર એ છે કે, છેલ્લા બે દિવસથી દર્દીઓના સાજા થવાનો દર પણ વધ્યો છે. ગઈ કાલે રાજ્યમાંથી 410 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેની સામે 376 કેસ નવા નોંધાયા હતા. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 327 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
જ્યારે 26મી મેના રોજ 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ અમદાવાદમાં 436 લોકો કોરોનામુક્ત બન્યા હતા. આમ, 26મી મેના રોજ ગુજરાતનો રીકવરી રેટ 48.13 ટકા થયો હતો. આ રીકવરી રેટમાં પણ વધારો થયો છે.