અમદાવાદઃ  તૌક્તે વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યભરમાં જોવા મળી રહી છે ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શહેરમાં 50 થી 60 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે વાવાઝોડાનું સંકટ ઘટી જશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.


અમદાવાદમાં અત્યાર સુધીમાં 22.56 મીમી વરસાદ પડી ચુક્યો છે. રિવરફ્રંટ ખાતે કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકથી સતત મોનીટરિંગ થઈ રહ્યું છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. વાસણા, શેલણા, એસજી હાઈવે, પ્રહલાદનગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈટ, નિકોલ, નરોડા, નવરંગપુરા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.


રાજ્યના 188 તાલુકામાં વરસાદ


વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.


સાવરકુંડલામાં સાત ઈંચ, ભાવનગરના પાણીતાણામાં સાડા છ ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંટ ઈંચ, મહુવામાં પાંચ ઈચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ગઢડામાં ચાર ઈંચ, વિસાવદરમાં ચાર ઈંચ, ઉમરાળામાં પોણા ચાર ઈંચ,  ધારીમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં શહેરમાં ત્રણ ઈંચ, જેસરમાં પોણા ત્રણ ઈંચ, વલભીપુરમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.


Cyclone Taukta:  સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં 8 ઈંચ વરસાદથી પાણી જ પાણી, જાણો ક્યાં ક્યાં ખાબક્યો વરસાદ


Cyclone Tauktae: પાલીતાણામાં મકાનનું છાપરું પડતાં પિતા-પુત્રીના કરૂણ મોત, જાણો વિગત