અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા પછી હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસો 10 હજારની અંદર આવી ગયા છે. ત્યારે એક પછી એક જિલ્લાઓથી પણ સારા સામાચાર સામે આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાથી સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના માત્ર 3 જ એક્ટિવ કેસ છે. ત્યારે આ જિલ્લો હવે ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કારણ કે, છેલ્લા 5 દિવસથી આ જિલ્લામાં એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી. 


છોટાઉદેપુર ઉપરાંત ડાંગ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કારણ કે, આ જિલ્લામાં પણ કોરોનાના 6 એક્ટિવ કેસો છે. આ સિવાય દાહોદમાં 18, મોરબીમાં 15, પાટણ 20, સુરેન્દ્રનગર 16  અને તાપીમાં 18 એક્ટિવ કેસો છે. ત્યારે આ જિલ્લા પણ ઝડપથી કોરોનામુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છે.  


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 352  કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 4  દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10007 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1006  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.70  ટકા છે.


ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે  સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,63,630 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1006  દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.70 ટકા છે. અત્યાર સુધીમાં 2,08,21,654 વ્યક્તિઓને કોરોના વેક્સીન (CoronaVaccine)આપવામાં આવી છે. આજે કુલ 2,63,630 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.


રાજ્યમાં અત્યાર સુધી 802187 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 8884 પર પહોંચ્યો છે. જેમાંથી 219 દર્દી વેન્ટિલેટર પર અને 8665  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.70 ટકા છે. 


 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?









ક્યાં કેટલા મોત થયા ?


રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત 1, જૂનાગઢ 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 2,63,630 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.70 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 1006 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.