ચાર ચાર વાર તમે પાર્ટીમાં હોદ્દા લીધા અને અત્યારે તમને ટીકીટ ન મળી એટલે અન્યાય દેખાય છે. જ્યારે હોદ્દા પર હતા ત્યારે કહેવું હતું કે સમાજને અન્યાય થાય છે. સમાજના નામે ભાગલા ન કરો અમારા પાટીદારમાં થયું તે સતવારા સમાજમાં ન થવું જોઈએ. વર્ષોથી વિચારધારા ભાજપની અને તમને ટીકીટ ન મળી એટલે તમે કોંગ્રેસી આ કેવા પ્રકારની નીતિ.
તેમણે કહ્યું હતું કે, સમાજના બટવારા કરવાવાળાની વાત ન સાંભળો. જ્ઞાતિ જ્ઞાતિ ને બજાડીને રાજકારણ કરવું તે પાપ છે. બોટાદમાં મારા કડવા પટેલોના ખાલી ૭ થી ૮ હજાર મતો હતા છતાં બધા સમાજને સાથે રાખીને કામ કરુ છું. શહેરના તુરખા રોડ પર સૌરભ પટેલની જાહેર સભા યોજાઈ હતી.