અમદાવાદઃ જિલ્લા અદાલતોના ફીઝીકલ હિયરિંગ બાબતે હાઈકોર્ટે નવો સર્ક્યુલર બહાર પાડ્યો હતો. જે જગ્યાઓએ કોરોનાના 100થી ઓછા એક્ટિવ કેસ છે તેવી જિલ્લા અદાલતોમાં ફીઝીકલ હિયરિંગ શરૂ કરવા બાબતનો સર્ક્યુલર કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર, વલસાડ અને તાપી જિલ્લાની અમુક અદાલતો આજથી ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે.
સુરેન્દ્રનગર જિલ્લાની મુળી, સાયલા, પાટડી અને થાનગઢ તાલુકાની અદાલતો ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે. તાપી જિલ્લાની દોલવણ, નિઝર, સોનગઢ અને ઉચ્છલ તાલુકાની અદાલતો ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે. વલસાડની કપરાડા અને ઉંબેરગાવ તાલુકાની અદાલત ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે.