અમદાવાદઃ અમદાવાદ, વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી થઈ રહી છે, ત્યારે જામનગરમાં આવેલા પરિણામથી ભાજપ અને કોંગ્રેસ ચોંકી ગયું છે. જામનગરના વોર્ડ નંબર-6માં 3 બસપા અને એક ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.


જામનગરના વોર્ડ નંબર-6માં 2015માં ભાજપની પેનલ જીતી હતી. જોકે, આ વખેત BSPએ ભાજપ પાસેથી 3 બેઠક આંચકી લીધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.

બસપાના વિજેતા ઉમેદવાર- વોર્ડ ૬
ફુરકાન શેખ
જ્યોતિબેન ભરવડિયા
રાહુલ બોરીચા

છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.