અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે, ત્યારે હવે રાજ્યમાં શિયાળાની વિદાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારથી શિયાળો વિદાય લેશે, તે અંગે માહિતી આપી છે. એટલું જ નહીં, આજે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે, તેમ પણ જણાવાયું છે.


આજે બપોર બાદ અમદાવાદ શહેરના નાગરિકોને ગરમીનો અહેસાસ થશે, પરંતુ રાત્રે થશે ઠંડીનો અહેસાસ થશે. અમદાવાદ શહેરમાં નાગરિકોને બેવડી ઋતુનો અનુભવ થશે. ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં શિયાળો વિદાય લેશે.