અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે નરોડા ચિલોડા હાઈવે પર યુવાનો સાથે સંવાદ કર્યો હતો. અમદાવાદમાં આઉટસોર્સીસ કર્મચારી સાથે કેજરીવાલે સંવાદ યોજ્યો હતો. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, હું વિકાસની વાતો કરુ છું ને ભાજપના લોકો મને ગાળો દે છે. અરવિંદ કેજરીવાલે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો.