યુવા સંવાદમાં તેમણે કહ્યું કે, સરકારી નોકરીમાં લોકોએ વધારે જોડાવું જોઈએ. રાજકારણમાં વધુ રસ લો, રાજકારણમાં ઊંડા ઉતરજો. જે પાર્ટીમાં જવું હોય ત્યાં જાજો પણ વધુને વધુ લોકોને જોડવા જોઈએ.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, ખોડલધામમાં જે કંઈ થયું છે તે સૌ કોઈ જાણે છે. ખોડલધામને મેનેજમેન્ટનું બિરુદ મળ્યું એટલે લોકો અંદર ઉતરીને કામ કરતાં હતા. આજે ટ્રસ્ટ પાસે 50 હજાર સ્વયંસેવકો સૌરાષ્ટ્રના છે. કોઇપણ કામમાં ઇનવોલ્વમેન્ટ રાખવું જરૂરી છે. બીજા શું કરે છે તે જોવાની જરૂર નથી, તમારે શું કરવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. જીવનશૈલીમાં ડીસીપ્લીન જરૂરી છે. કોઈપણથી અભિભૂત ન થવું જોઈએ.