અમદાવાદઃ કોરોનાના કહેરને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન-3 ચાલી રહ્યું છે. લોકડાઉન દરમિયાન સરકારે પાન-મસાલા અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂપી રીતે પાન-મસાલાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ દૂધ પાર્લરની આડમાં પાન-મસાલાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે.


આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સોલા વિસ્તારમાં આઈસીબી આઇલેન્ડ ફ્લેટ સ્થિત અક્ષર પાર્લર પર પોલીસે રેડ પાડી હતી. અહીં દૂધ-છાસની આડમાં પ્રતિબંધિત સામાન વેચાતો હતો. અહીં તમાકુ, માવા, સિગારેટનું વેચાણ કરાતું હતું. નક્કર બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી. હાલ, ડેરી પ્રોડક્ટ સિવાયનો તમામ માલ પોલીસે કબ્જે કર્યો છે. આ સાથે પાર્લરના માલિક સહિત ચાર ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.