LokSabha Election: ગુજરાતમાં પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર ઝડપી મતદાનના આંકડા સામે આવી રહ્યાં છે. સવાર સવારેમાં ગુજરાતમાં બમ્પર મતદાન યોજાઇ રહ્યું છે. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં મતદાન કર્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યુ છે. 


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવાર સવારમાં જ અમદાવાદમાં મતદાન કરવા પહોંચ્યા હતા, અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જ્યાં તેઓનુ ઘર છે, ત્યાંથી સવારમાં જ મતદાન કર્યુ હતુ. નારાણપુરાની સબ ઝૉનલ ઓફિસ પર અમિત શાહ મતદાન કરવા પહોંચ્યા હતા, અહીં તેમને પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતુ, અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરી હતી. મતદાન દરમિયાન અમિત શાહ અમદાવાદના પવિત્ર અને પ્રસિદ્ધ કામેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા. 


વડાપ્રધાન મોદીએ રાણીપમાં કર્યું મતદાન, અમિત શાહ રહ્યા હાજર


લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.


મતદાન બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે મીડિયાકર્મીઓને સ્વાસ્થ્ય સાચવવાની સલાહ આપી હતી. લોકોએ મીડિયાકર્મીઓને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપી હતી. મત આપ્યા બાદ તેમણે કહ્યું કે મતદાન એ સામાન્ય દાન નથી. આવી સ્થિતિમાં તેમાં ભાગ લો.



 



 



 


પીએમ મોદીએ કહ્યું કે લોકશાહીમાં મતદાન એ સાધારણ દાન નથી. આપણા દેશમાં દાનનું ઘણું મહત્વ છે. અને એ જ ભાવના સાથે દેશવાસીઓએ બને તેટલો વધુ મતદાન કરવું જોઈએ. આજે ત્રીજા તબક્કાનું મતદાન છે. હજુ ચૂંટણી ત્રણ અઠવાડિયા સુધી ચાલશે અને ચાર તબક્કા હજુ બાકી છે. મતદાર તરીકે હું અહીં મત આપું છું. અમિતભાઈ અહીંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અત્યારે મારે ઘણા રાજ્યોની મુલાકાત લેવાની છે. હું દેશના મતદારોનો આભાર વ્યક્ત કરું છું. જેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. હું ચૂંટણી પંચને અભિનંદન આપું છું કે દેશમાં પ્રથમ બે તબક્કામાં હિંસાની કોઈ ઘટના નોંધાઈ નથી.



 



 



 


મતદાન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતું કે "હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ તમામની સક્રીય ભાગીદારી લોકશાહીના આ તહેવારની રોનક વધારશે.