છેલ્લા ત્રણ દિવસથી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજ વેન્ટિલેટર પર છે. આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસને સતત બે દિવસ પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી છે. આમ છતાં સ્વાસ્થ્ય હજુ પણ નાજુક છે. ત્યારે આચાર્ય સ્વામીના ઈલાજ માટે ખાસ મુંબઇથી નિષ્ણાંત ડોક્ટર બોલાવાયા છે.
મુંબઈની એક ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબને પણ આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીના ઈલાજ માટે ખાસ બોલવવામાં આવ્યા છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સૂત્રોના દ્વારા જાણવા મળ્યું છે કે, આચાર્ય સ્વામીજી મહારાજનું સ્વાસ્થ્ય સુધરે તે માટે વિશ્વના શ્રી સ્વામિનારાયણ ગાદી હસ્તકના તમામ મંદિરોમાં ધૂન-પ્રાર્થના કરવામાં આવી રહી છે.