અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. આ માટે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ વાંરવાર ગુજરાત આવી રહ્યા છે. તો બીજી તરફ ઘણા યુવા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હવે આ કડીમાં ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર પણ આપમાં જોડાયા છે. આ ઉપરાંત આંદોલનકારી રાહુલ રાવલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયો છે.


આ અંગે નિવેદન આપતા આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમને ઘણી ખુશી છે કે દરેક વર્ગના કર્મચારીઓ સાથે પોલીસ કર્મચારીઓ પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યા છે. ગુજરાતના લોકો હવે બદલાવ માંગે છે અને સકારાત્મક બદલાવનું બીજું નામ એટલે આમ આદમી પાર્ટી. ધીમે ધીમે સૌ કોઈ આમ આદમી પાર્ટીને અપનાવી લેશે અને ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટાચારનો અંત આવશે.


ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખે મળી શકે છે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થાય તે પહેલા ચોમાસું સત્ર યોજાઈ શકે છે. બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર મળી શકે છે. આગામી 22-23 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવવાની તૈયારીએ થઈ રહી છે.  વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું સત્ર હશે. આવતા અઠવાડિયે કેબિનેટ બેઠકમાં નક્કી થયા બાદ વિધાનસભા સત્રનુ આહવાન થઈ શકે છે.


બે દિવસના ટૂંકા સત્રમાં શું થશે


વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કામકાજ બંધ રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરાશે.


 રાજકોટના એન્ટિક વસ્તુના શોખીન આ વ્યક્તિ પાસે છે ગણેશજીની 60 વર્ષથી લઈ અને 2000 વર્ષ જૂની મૂર્તિઓ









ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ


દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7 હજાર 591 નવા કેસ નોંધાયા છે અને 45 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં 1845 નો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 84 હજાર 931 થઈ છે. કુલ 4 કરોડ 38 લાખ 2 હજાર 993 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 799 પર પહોંચ્યો છે.  અત્યાર સુધીમાં કુલ 211 કરોડ 91 લાખ 5 હજાર 738 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 24 લાખ 70 હજાર 330 ડોઝ અપાયા હતા.